નવી દિલ્હી: કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામને સોમવારે કોરોના રોગચાળો ફાટી નીકળવાના પગલે દેશના વિવિધ વેપાર અને ચેમ્બરના નેતાઓ સાથે વાત કરી હતી અને ઉદ્યોગ અને સંગઠનને લગતી બાબતો અંગે તેમના ઇનપુટ લીધા હતા.
નાણાં પ્રધાન સીતારામને ટ્વિટર દ્વારા આ માહિતી શેર કરી છે. તેમણે ઉદ્યોગ નેતાઓને માહિતી આપી હતી કે, કેન્દ્ર સરકાર વિવિધ સ્તરે COVID-19 નો મુકાબલો કરી રહી છે અને જીવન અને આજીવિકા માટે રાજ્યો સાથે મળીને કામ કરી રહી છે. નાણાં પ્રધાન સાથે વાત કરનારાઓમાં કોટક મહિન્દ્રા બેંકના સીઇઓ ઉદય કોટક, ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (એફઆઈસીસીઆઈ) ના ઉદય શંકર, બંગાળ ચેમ્બર ઓફ કોમર્સના દેબ મુખરજી, બેંગ્લોર ચેમ્બર ઓફ કોમર્સના ટીઆર પરસુરામન અને હીરો મોટોકોર્પ કેપવન મુંજાલનો સમાવેશ થાય છે.