ભારત સરકાર નાંખી શકે છે ખાંડ પર સુગરસેસ

તમને ખાંડનો મધુર સ્વાદ પસંદ જરૂર હશે પરંતુ હવે આ સ્વાદ થોડો કડવો બને તો નવાઈ નહિ.હકીકતમાં કેન્દ્ર સરકાર હવે ખાંડ પર પેહેલી વખત સુગરસેસ નાંખવા માંગે છે જેનાથી ખંડણી કિમંતમાં થોડો વધારો આવે તો નવાઈ નહિ.

સરકાર પાસે આ પ્રપોઝલ આવી છે અને જો સરકાર તેના પાર વિચાર કરીને આગળ વધે તો તે વધારાનો ટેક્સ ગણાશે કારણ કે હાલ કેન્દ્ર સરકાર દ્વારા 5% જીએસટી વસુલવામાં આવે છે.ભારતના એટર્ની જનરલ દ્વારા સુગર સેસ મનાંખવાની દરખાસ્ત મંજુર કરવામાં આવી છે અને મુખ્યતેતવે આ રકમ શેરડી પકવતા ખેડૂતોના વેલ્ફેર માટે વપરાશે.

હકીકતમાં ગત મેં મહિનામાં જ પેહેલી વકહ્ત સુગરસેસ નાંખવાની વાત આવી હતી. જીએસટી કાઉન્સિલ આ મુદ્દે વિચારી પણ રહ્યું હતું અને જો તે સ્વીકારવામાં આવશે તો ખેડૂતોને મિલ માલિકો દ્વારા જે ચુકવણી કરવામાં મોડું કરવામાં આવે છે તેમાં ક્યાંક ખેડૂતો માટે સુધારો લાવી શકાશે.

આ નિર્ણય લેતા પેહેલા લીગલ સલાહ પણ લઇ લેવી જરૂરી હતી અને તેટલા માટે જ ગ્રુપ ઓફ સ્ટેટ મિનિસ્ટર્સ દ્વારા એટર્ની જનરલ કે કે વેણુગોપાલ ની સાથે મસલત પણ કરી લેવામાં આવી છે અને જે વિનંતી કરવામાં આવી હતી તેના પ્રત્યુત્તરમાં એટર્ની જનરલ દ્વારા પોઝિટિવ જવાબ પણ આપી દેવામાં આવ્યો છે.

દરમિયાન સુપ્રીમે કોર્ટમાં આ રીત દાખલ થઇ હતી જેના ફેવરમાં સરકાર અથવા જીએસટી કાઉન્સિલને આ અપ્રકારના નિર્ણય લેવાની છૂટ આપતો ચુકાદો આપી દેવાયો હતો ત્યારે અહીં એટર્ની જનરલ દ્વારા ગ્રીન સિગ્નલ આપી દેવામાં આવ્યું છે.

4 મેં મહિનામાં મળેલી મિટિંગમાં આ નાગે ચર્ચા કરવામાં આવી હતી અને હવે જયારે લીગલ ઓપિનિયન પણ આપવી ગયો છે ત્યારે ગ્રુપ ઓડ સ્ટેટ મિનિસ્ટર્સ ના પ્રમુખ આસામના નાણાં મંત્રી હિમંત બિસ્વા શર્મા આ અંગે બધા પાસાનો અભ્યાસ કરીને પોતાનો રિપોર્ટ સોંપશે.

SOURCEChiniMandi

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here