મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં 921 લાખ ક્વિન્ટલ ખાંડનું ઉત્પાદન થયું

મહારાષ્ટ્રમાં શેરડી પીલાણની સિઝન અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. જો કે, રાજ્યમાં હજુ સુધી એક પણ શુગર મિલે પીલાણ કરવાનું બંધ કર્યું નથી.

શુગર કમિશનરેટના ડેટા અનુસાર, 2021-22ની સિઝનમાં 22 ફેબ્રુઆરી, 2022 સુધી મહારાષ્ટ્રમાં કુલ 197 શુગર મિલોએ પિલાણ શરૂ કર્યું છે. જેમાં 98 સહકારી અને 99 ખાનગી સુગર મિલો સામેલ છે અને 900.51 લાખ ટન શેરડીનું પિલાણ કરવામાં આવ્યું છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 921.89 લાખ ક્વિન્ટલ ખાંડનું ઉત્પાદન થયું છે. હાલમાં રાજ્યમાં ખાંડની સરેરાશ રીકવરી 10.24% છે.

રાજ્યમાં સૌથી વધુ ખાંડનું ઉત્પાદન કોલ્હાપુર વિભાગમાં થયું છે. શુગર કમિશનરેટના ડેટા અનુસાર, 2021-22ની સિઝનમાં 22 ફેબ્રુઆરી, 2022 સુધી કોલ્હાપુરમાં 211.53 લાખ ટન શેરડીનું પિલાણ કરીને 246.43 લાખ ક્વિન્ટલ ખાંડનું ઉત્પાદન કરવામાં આવ્યું છે. રાજ્યમાં ખાંડની સૌથી વધુ રિકવરી પણ કોલ્હાપુર વિભાગમાં છે. અહીં ખાંડની રિકવરી 11.65 ટકા છે.

રાજ્યમાં સૌથી વધુ શુગર મિલો સોલાપુર વિભાગમાં કાર્યરત છે. સોલાપુરમાં સૌથી વધુ 46 સુગર મિલોમાં પિલાણ શરૂ થઈ ગયું છે. અહીં 22 ફેબ્રુઆરી, 2022 સુધીમાં 212.19 લાખ ટન શેરડીનું પિલાણ કરીને 195.68 લાખ ક્વિન્ટલ ખાંડનું ઉત્પાદન કરવામાં આવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here