ભોપાલ: મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું કે, બુરહાનપુર જિલ્લામાં કેળાના વિપુલ પ્રમાણમાં ઉત્પાદનને ધ્યાનમાં રાખીને કેળાની નિકાસનું આયોજન કરવામાં આવ્યું છે. સ્વર્ગસ્થ નંદકુમારસિંહજી દ્વારા પણ આ દિશામાં પ્રયાસો કરવામાં આવી રહ્યા હતા. આ સાથે જિલ્લામાં 100 એકરમાં ફેલાયેલા શેરડી સંશોધન કેન્દ્રનું નામ પણ તેમના નામે રાખવામાં આવશે.
મુખ્ય પ્રધાન ચૌહાણે કહ્યું કે, સ્વ.શ્રી નંદકુમાર સિંહ શાહપુર શહેરી મંડળના અધિકારી હતા, તેમની પ્રતિમા અહીં સ્થાપિત કરાશે. આ ઉપરાંત પાલિકાના મકાનનું નામ પણ તેમના નામે રહેશે. મુખ્યમંત્રીએ કહ્યું કે શ્રી નંદકુમાર સિંહને શ્રદ્ધાંજલિ માત્ર શબ્દો સુધી મર્યાદિત રહેશે નહીં, પરંતુ તેમના અધૂરા સપનાને સાકાર કરવાનો પ્રયાસ કરવામાં આવશે.