કોલકાતા: પશ્ચિમ બંગાળ સરકારે રાજ્યમાં ઇથેનોલ ઉત્પાદન અને પ્રોત્સાહન વધારવા માટે ઇથેનોલ નીતિની જાહેરાત કરી છે. રાજ્ય સરકાર ઉદ્યોગોને ખેડૂતો પાસેથી તૂટેલા ચોખાના અનાજ ખરીદવા અને ઇથેનોલનું ઉત્પાદન કરવા પ્રોત્સાહિત કરશે, જે સ્વચ્છ બાયોફ્યુઅલ તરીકે લોકપ્રિયતા મેળવી રહી છે.
મુખ્યમંત્રી મમતા બેનર્જીએ જણાવ્યું હતું કે આગામી એક વર્ષમાં રૂ. 1500 કરોડનું રોકાણ થઇ શકે છે, જે 48,000 લોકોને રોજગારીની તકો ઉભી કરશે.આ એકમો ગ્રામીણ વિસ્તારોમાં આવે તેવી શક્યતા છે. ઓઇલ કંપનીઓ પેટ્રોલમાં 10 ટકા ઇથેનોલનું મિશ્રણ કરી રહી છે અને કેન્દ્ર સરકાર પેટ્રોલમાં ઇથેનોલનું મિશ્રણ 20 ટકા સુધી વધારવાની યોજના ધરાવે છે.