નવી દિલ્હી : કેન્દ્ર સરકારે 10 નવેમ્બરે ઇથેનોલના ભાવમાં વધારો કરવાની જાહેરાત કરી હતી. આ પગલાથી શેરડીના ખેડૂતોને ફાયદો થશે અને પરંપરાગત પેટ્રોલિયમ ઉત્પાદનો સાથે ઇથેનોલના ઉચ્ચ મિશ્રણમાં પણ મદદ મળશે.
માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ સિંહ ઠાકુરે જણાવ્યું હતું કે વધારાથી શેરડી આધારિત ઇથેનોલની કિંમત 62.65 રૂપિયાથી વધારીને 63.45 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે.
સી-હેવી મોલાસીસમાંથી ઇથેનોલનો દર હાલમાં રૂ. 45.69 પ્રતિ લિટરથી વધારીને રૂ. 46.66 પ્રતિ લિટર અને બી-હેવી મોલાસીસમાંથી ઇથેનોલનો દર રૂ. 57.61 પ્રતિ લિટરથી વધારીને રૂ. 59.08 પ્રતિ લિટર કરવામાં આવ્યો છે. .
ઠાકુરે જણાવ્યું હતું કે 2020-21 માર્કેટિંગ વર્ષ (ડિસેમ્બર-નવેમ્બર)માં પેટ્રોલ સાથે ઇથેનોલનું મિશ્રણ 8 ટકા સુધી પહોંચી ગયું છે અને આવતા વર્ષે તે 10 ટકા સુધી પહોંચવાની અપેક્ષા છે. તમને જણાવી દઈએ કે, ભારત 2025 સુધીમાં આ મિશ્રણને 20 ટકા સુધી વધારવાની યોજના ધરાવે છે.