લખીમપુર ખેરી: ઉત્તર પ્રદેશના લખીમપુર જિલ્લાના ગોલા પોલીસ સ્ટેશનમાં શેરડીના ખેડૂતોના લેણાંની ચુકવણી ન કરવા બદલ બજાજ હિન્દુસ્તાન શુગર મિલના માલિક સહિત ચાર લોકો સામે એફઆઈઆર નોંધવામાં આવી છે. બીજેપી ધારાસભ્ય અરવિંદ ગિરીએ બજાજ શુંગર મિલના માલિક કુશાગ્ર બજાજ, યુનિટ હેડ ઓમપાલ સિંહ, ફેક્ટરી મેનેજર આર કે મિશ્રા અને કાયદાકીય સલાહકાર અવની કુમાર પાંડે સહિત ચાર વરિષ્ઠ અધિકારીઓ વિરુદ્ધ આ FIR નોંધાવી છે.
મિલના અધિકારીઓએ 10 નવેમ્બર સુધીમાં શેરડીના ખેડૂતોની બાકી રકમ ચૂકવવાનું વચન આપ્યું હતું, પરંતુ તેઓ નિયત તારીખે બાકી ચુકવણી કરવામાં નિષ્ફળ ગયા હતા. આથી ભાજપના ધારાસભ્ય દ્વારા ખેડૂતોને ખોટા આશ્વાસન આપ્યા બાદ FIR દાખલ કરવામાં આવી હતી.