નવી દિલ્હી: શ્રી રેણુકા શુગર્સ, ભારતની સૌથી મોટી સુગર રિફાઇનર અને ઇથેનોલ ઉત્પાદક પણ છે તેની લગભગ 20 ટકા આવક ઇથેનોલમાંથી આવે છે, જે ક્ષમતા બમણી થાય તો વધીને 30-35 ટકા થઈ શકે છે. શ્રી રેણુકા શુગર્સના એક્ઝિક્યૂટિવ ચેરમેન અતુલ ચતુર્વેદીએ CNBC-TV18 સાથેની એક મુલાકાતમાં જણાવ્યું હતું કે, “એકવાર અમે અમારી ક્ષમતા બમણી કરી લઈએ, તો મને ખાતરી છે કે ઇથેનોલ માંથી થતી આવક અમારી કુલ આવકના લગભગ 30-35 ટકા જેટલી થશે.
ઇથેનોલ એ શેરડી અને અન્ય ફીડ સ્ટોક્સ માંથી બનેલ નવીનીકરણીય બળતણ છે. ખાંડની કંપનીઓ સાથે શેરડીના વધારાના સ્ટોકનો ઉપયોગ કરવા માટે, ભારત સરકારે કંપનીઓને ઇથેનોલનું ઉત્પાદન કરવા પ્રોત્સાહિત કર્યું, જેને પેટ્રોલ સાથે ભેળવી શકાય અને વાહનોમાં ઈંધણ તરીકે ઉપયોગ કરી શકાય.
કંપનીએ જણાવ્યું હતું કે શ્રી રેણુકા શુગર્સે તેની ઇથેનોલ ક્ષમતા વધારવા માટે આશરે રૂ.700 કરોડનું રોકાણ કર્યું છે અને પ્રોજેક્ટ હવે કમિશનિંગના અંતિમ તબક્કામાં છે.
NBC-TV18ને આપેલા અગાઉના ઇન્ટરવ્યુમાં, બલરામપુર શુગર મિલ્સના ચીફ ફાઇનાન્શિયલ ઓફિસર પ્રમોદ પટવારીએ કહ્યું હતું કે, અમે 190 મિલિયન લિટર ઇથેનોલની ક્ષમતા સ્થાપિત કરી છે અને અમે આ ક્ષમતા વધારીને 350 મિલિયન લિટર કરી રહ્યા છીએ. દાલમિયા ભારત શુગર એન્ડ ઇન્ડસ્ટ્રીઝ પાસે પણ 240 KLPD (કિલો લિટર પ્રતિ દિવસ)ની ઇથેનોલ ક્ષમતા છે.