નવી દિલ્હી: કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે તેમનું સ્વપ્ન ભારતમાં પેટ્રોલિયમ ઉત્પાદનોની આયાત ઘટાડવાનું છે. ગડકરી બોસ્ટન કન્સલ્ટિંગ ગ્રુપ (BCG) દ્વારા આયોજિત એક કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા હતા.
મંત્રી ગડકરીએ પરિવહન હેતુ માટે ઇથેનોલના ઉપયોગને પ્રોત્સાહિત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો અને કહ્યું કે ઇથેનોલ “આર્થિક રીતે સસ્તું, પ્રદૂષણ મુક્ત અને સ્વદેશી” બળતણ છે. કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ દાવો કર્યો હતો કે ઇથેનોલ દેશમાં કૃષિ વિકાસમાં વધારો કરશે કારણ કે અમે ચોખામાંથી પણ ઇથેનોલનું ઉત્પાદન કરીશું.