પેટ્રોલમાં 20 ટકા ઇથેનોલનું મિશ્રણ લક્ષ્ય કરતાં આગળ હોવાની સરકારની વાત

નવી દિલ્હી: કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ કહ્યું છે કે દેશમાં 20% ઇથેનોલ મિશ્રિત પેટ્રોલની ઉપલબ્ધતા ડિસેમ્બર અથવા જાન્યુઆરીમાં શરૂ થવાની સંભાવના છે, જે એપ્રિલ 2023ના લક્ષ્યાંક પહેલા પ્રાપ્ત થવાની સંભાવના છે. “સરકાર સતત ઇથેનોલ ઉત્પાદનની સમીક્ષા કરી રહી છે અને એપ્રિલ 2023 (લક્ષ્ય) પહેલા ડિસેમ્બર અથવા જાન્યુઆરીમાં 20% મિશ્રિત ઇંધણ બજારમાં આવશે,” તેમણે પત્રકારોને જણાવ્યું હતું. તેમણે બ્રાઝિલને ઉદાહરણ પણ ટાંક્યું હતું. જ્યાં ગ્રાહકો ફ્લેક્સ-ફ્યુઅલ વાહનોમાં ઇથેનોલ અને પેટ્રોલ વચ્ચે પસંદગી કરી શકે છે. તેમણે દાવો કર્યો કે આ સરકારનું અંતિમ લક્ષ્ય હશે. જો કે, ત્યાં કેટલીક તકનીકી આવશ્યકતાઓ છે અને ત્યાં પહોંચવા માટે કામ કરવામાં આવી રહ્યું છે. “અમે ઈથેનોલ મિશ્રણ પર ઓટોમોબાઈલ ઉત્પાદકો સાથે મોટી બેઠક કરવા જઈ રહ્યા છીએ.

ભારતે ગેસોલિનમાં 20% ઇથેનોલ ભેળવવાની સમયમર્યાદા પાંચ વર્ષ વધારીને 2025 કરી છે. મંત્રી પુરીએ જણાવ્યું હતું કે પેટ્રોલમાં 20% ઇથેનોલ મિશ્રણ હાંસલ કરવા માટે દેશને 1,000 કરોડ લિટર ઇથેનોલની જરૂર પડશે. તેમણે કહ્યું કે દેશમાં 450 કરોડ લિટરનું ઉત્પાદન થઈ રહ્યું છે અને 400 કરોડ લિટર માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યા છે. તેમણે દાવો કર્યો હતો કે અમારી પાસે 20 ટકા મિશ્રણ માટે પૂરતા પ્રમાણમાં ઇથેનોલ છે. દેશમાં વેચાતા તમામ પેટ્રોલમાં 2025 સુધીમાં 20 ટકા ઇથેનોલ મિશ્રણનો લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યો છે. ભારતમાં પેટ્રોલમાં ઇથેનોલનું મિશ્રણ 2013-14માં 1.53%થી વધીને 2019-20માં 5%, 2020-21માં 8.10% અને હવે વધીને 10.17% થયું છે. જાન્યુઆરી 2023 સુધીમાં ઇથેનોલનું મિશ્રણ 20%ના સ્તરે પહોંચવાની અપેક્ષા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here