અયોગ્ય લોકો દ્વારા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો લાભ મેળવવાના કિસ્સાઓ વારંવાર સામે આવે છે. કેન્દ્ર સરકાર હવે આવા લોકો સામે ઘણી કડક છે. જો તમે આ યોજનાનો ખોટી રીતે લાભ લીધો છે, તો તમારે પીએમ કિસાન યોજનાના અત્યાર સુધીના તમામ હપ્તાની રકમ પરત કરવી પડશે. જેમણે નકલી દસ્તાવેજો રજૂ કરીને આ પ્રકારનું કામ કર્યું છે, તેમને નોટિસ મોકલીને પૈસા પરત કરવા કહેવામાં આવી રહ્યું છે.
તમે પીએમ કિસાન યોજના સંબંધિત રકમ મેળવવા માટે પાત્ર છો કે કેમ તે તપાસવા માટે તમે સત્તાવાર વેબસાઇટની પણ મુલાકાત લઈ શકો છો. અહીં જઈને તમે સરળતાથી તમારું નામ લાભાર્થીની યાદીમાં જોઈ શકો છો.