પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સરદાર પટેલને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે અને ભારતમાં તેમના શાશ્વત યોગદાનને યાદ કર્યું છે.
એક ટ્વીટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;
“હું સરદાર પટેલને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ આપું છું અને ભારતમાં તેમના શાશ્વત યોગદાનને, ખાસ કરીને આપણા રાષ્ટ્રને એક કરવા અને સર્વાંગી વિકાસને વેગ આપવા માટે યાદ કરું છું.”
(Source: PIB)