ગોવા: ઇથેનોલ પ્લાન્ટનો મુદ્દો જલ્દી ઉકેલવા ખેડૂતોની માંગ

પોંડા: શેરડીના ખેડૂતોએ સરકારને ચેતવણી આપી છે કે સરકારને સંજીવની શુગર મિલની જમીન અન્ય પ્રોજેક્ટ માટે લેવા દેવામાં આવશે નહીં. ખેડૂતોનો આરોપ છે કે ગોવા સરકાર પ્રસ્તાવિત ઇથેનોલ પ્લાન્ટ સ્થાપવામાં નિષ્ફળ રહી છે. સંજીવની શુગર મિલના ખેડૂતો ઇથેનોલ પ્લાન્ટ સ્થાપવામાં સરકારની નિષ્ફળતાથી ખૂબ નારાજ છે. ખેડૂતોએ કહ્યું કે તેઓ છેતરાયાની લાગણી અનુભવી રહ્યા છે અને સરકારે સંજીવનીના ભવિષ્ય અંગે લેખિતમાં પોતાનું વલણ સ્પષ્ટ કરવું જોઈએ.

ખેડૂતોએ કહ્યું કે, જો ઇથેનોલ પ્લાન્ટનો પ્રશ્ન ઉકેલવામાં નહીં આવે તો અમે સંજીવની શુગર મિલની એક ઇંચ જમીનને પણ સરકારને સ્પર્શવા નહીં દઇએ. જ્યાં સુધી ઇથેનોલ પ્રોજેક્ટનો મુદ્દો ઉકેલાય નહીં અને અમને આજીવિકાનો વૈકલ્પિક સ્ત્રોત આપવામાં ન આવે ત્યાં સુધી અમે સંજીવની જમીન માટે લડત ચાલુ રાખીશું. ખેડૂતોએ એમ પણ કહ્યું કે સરકાર પોતાનું સ્ટેન્ડ સ્પષ્ટ કરવામાં ઘણો સમય લઈ રહી છે અને જો તેમને લેખિત ખાતરી નહીં મળે તો તેઓ રસ્તા રોકશે.

હેરાલ્ડ ગોવામાં છપાયેલા સમાચાર મુજબ, ખેડૂત સંઘના પ્રમુખ રાજેન્દ્ર દેસાઈએ પૂછ્યું કે સરકારે તેમને 2019-20માં કેમ ન કહ્યું કે તે ખાંડની મિલ બંધ કરી રહી છે. મુખ્ય પ્રધાન પ્રમોદ સાવંતે ઇથેનોલ પ્લાન્ટ સ્થાપવાનું આશ્વાસન આપ્યું હતું અને હવે ત્રણ વર્ષ પછી તેમણે કહ્યું છે કે આ પ્લાન્ટ શક્ય નથી.મુખ્ય પ્રધાન સાવંતે હવે અમને કહ્યું છે કે, જો તેમને પ્લાન્ટ સ્થાપવા માટે કોઈ રસ ધરાવતો પક્ષ મળે તો. અમે પ્લાન્ટ સ્થાપીશું. અમને આની અપેક્ષા નહોતી. આ વર્ષે જૂનમાં, સરકારે કહ્યું હતું કે બે પક્ષોએ ઇથેનોલ પ્લાન્ટ સ્થાપવામાં રસ દાખવ્યો છે અને ટેન્ડરિંગ પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ થશે. હવે તે કહે છે કે કોઈ આગળ નથી આવી રહ્યું. જેને લઈને ખેડૂતોમાં છેતરાયાની લાગણી જોવા મળી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here