ઝિમ્બાબ્વે સરકારે પીણાં પર શુગર ટેક્સ લાદવાનો નિર્ણય લીધો

હરારે: ઝિમ્બાબ્વેની સરકારે નાગરિકોને ખાંડના સેવનથી નિરુત્સાહિત કરવા માટે ખાંડયુક્ત પીણાં પર ટેક્સ લાદવાનો નિર્ણય કર્યો છે. નાણા, આર્થિક વિકાસ અને રોકાણ પ્રમોશન પ્રધાન મથુલી એનક્યુબે જણાવ્યું હતું કે નવા પગલાં ખાસ કરીને પીણાંમાં ઉમેરવામાં આવેલી ખાંડના વપરાશમાં ઘટાડો કરશે. સંસદમાં રાષ્ટ્રીય બજેટ 2024 રજૂ કરતી વખતે તેમણે આ ટિપ્પણી કરી હતી.
ખાંડના ગ્રામ દીઠ 2 યુએસ સેન્ટની વસૂલાત કરવાનો પ્રસ્તાવ છે. 1 જાન્યુઆરી, 2024થી પાણી સિવાયના તમામ પીણાં પર ટેક્સ લાદવામાં આવશે.
 આ પહેલા પણ વિશ્વના ઘણા દેશોમાં પીણાં પર સુગર ટેક્સ લાગુ કરવામાં આવ્યો હતો પરંતુ તે નિષ્ફળ રહ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here