લખનૌ: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું કે નરેન્દ્ર મોદીને ત્રીજી વખત વડાપ્રધાન બનાવવાની આ ચૂંટણી છે કારણ કે તેમણે ગરીબો અને ખેડૂતોના ઉત્થાન માટે ઘણું કર્યું છે. તેમણે શેરડી માટે રાષ્ટ્રીય નીતિ બનાવીને ઘણા ફેરફારો કર્યા છે. જ્યારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે શેરડીની એફઆરપી 210 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ હતી આજે શેરડીનો ભાવ 340 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ છે. શાહે કહ્યું કે, બસપાના શાસનમાં 19 સશુર મિલો અને સપાના શાસનમાં 10 શુગર મિલો બંધ કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે, ભાજપના શાસન દરમિયાન 20 થી વધુ ખાંડ મિલોને પુનર્જીવિત કરવામાં આવી હતી અને પાંચ નવી મિલોની સ્થાપના કરવામાં આવી હતી.
મંત્રી શાહે કોંગ્રેસ પર જમ્મુ-કાશ્મીરમાં કલમ 370નો મુદ્દો સાત દાયકાથી પેન્ડિંગ રાખવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે આરોપ લગાવ્યો કે કોંગ્રેસે રામ મંદિરનો વિરોધ કર્યો, પરંતુ પીએમ મોદીએ તેનું નિર્માણ કરાવ્યું.અમારી સરકારે પાકિસ્તાની આતંકવાદીઓને તેમની સરહદમાં ઘૂસીને મારી નાખ્યા. અમે કાશ્મીરમાંથી આતંકવાદને ખતમ કર્યો. મંત્રી શાહ મુઝફ્ફરનગરમાં કેન્દ્રીય મંત્રી અને ભાજપના ઉમેદવાર સંજીવ બાલ્યાનના સમર્થનમાં એક રેલીને સંબોધિત કરી રહ્યા હતા, જેઓ તે જ મતવિસ્તારમાંથી ત્રીજી વખત ચૂંટણી લડી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને વંશવાદના રાજકારણ અને ભ્રષ્ટાચારમાં કથિત સંડોવણી ધરાવતા નેતાઓના નેતૃત્વ હેઠળના INDI એલાયન્સ વચ્ચે તફાવત દર્શાવતા, અમિત શાહે મુઝફ્ફરનગરના મતદારોને 400 બેઠકોના લક્ષ્યાંકને પૂર્ણ કરવા માટે ભાજપને મત આપવાનું આહ્વાન કર્યું હતું.