ગૌહાટી:આસામ ના ચાના બગીચામાં કામ કરતા લોકો માટે એક મીઠામધ સંહાર આવી રહ્યા છે.રાજ્યના ખાદ્ય અને નાગરિક પુરવઠા પ્રધાન ફની ભૂષણ ચૌધરીએ કહ્યું છે કે,જો બધું પ્લાન મુજબ ચાલશે તો ચાના બગીચાના મજૂરોના દરેક પરિવારને માર્ચ-એન્ડથી દર મહિને બે કિલો ખાંડ મળશે,
મંત્રી ફની ભૂષણ ચૌધરીના જણાવ્યા મુજબ,ચાની સાથે મીઠાના સેવનની ટેવ છોડી દેવા માટે સરકારે ચાના એસ્ટેટ મજૂરોને વિના મૂલ્યે ખાંડ આપવાનો નિર્ણય લેવો પડ્યો. “મીઠું લેવું એ આરોગ્ય માટે ખાસ કરીને સ્ત્રીઓ માટે હાનિકારક છે.”
ચૌધરીએ વધુમાં જણાવ્યું હતું કે, ખાદ્ય અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા ખાંડના પુરવઠા માટે ટેન્ડરની માંગ કરી દેવામાં આવી છે અને વર્ક ઓર્ડર જાન્યુઆરી-અંત અથવા ફેબ્રુઆરીના પ્રથમ ભાગમાં જારી કરવામાં આવશે. આ યોજનાના વાર્ષિક બજેટમાં 46 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે.