રવિવારે મોડી રાત્રે મહારાષ્ટ્રના રત્નાગીરી જિલ્લામાં મધ્યમ તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, ભૂકંપની તીવ્રતા ચાર માપવામાં આવી છે અને તે મુંબઈથી લગભગ 350 કિમી દૂર રત્નાગિરી જિલ્લામાં પાંચ કિલોમીટરની ઊંડાઈએ આવી હતી.
કેન્દ્રના વડા (ઓપરેશન્સ)એ જણાવ્યું કે ભૂકંપ મોડી રાત્રે 2:36 વાગ્યે આવ્યો હતો. તેમણે કહ્યું કે આ સમયગાળા દરમિયાન જાનમાલના નુકસાનના કોઈ સમાચાર નથી.