ભારતીય કિસાન યુનિયન દ્વારા બજાજ શુગર મિલની સામે શેરડીની ચુકવણી ન કરવા બદલ ધરણા પ્રદર્શન યોજ્યા હતા. બજાજ શુગર મિલે ખેડૂતોના બાકી નીકળતા 359.72 કરોડ રૂપિયા હજુ ચૂકવ્યા નથી. ક્રોધિત થયેલા ખેડૂતોએ મિલના જનરલ મેનેજરને પણ કલાકો સુધી ધરણા સ્થળ પર બેસાડી રાખ્યા હતા. ત્યારબાદ ભારતીય કિસાન યુનિયનના પદાધિકારીઓ અને મિલના સંબંધિત અધિકારીઓ વચ્ચે થયેલી વાતચીત બાદ મિલ દ્વારા આશ્વાસન આપવામાં આવ્યું હતું કે ચુકવણી જલ્દીથી કરવામાં આવશે. ત્યારબાદ ભારતીય કિસાન યુનિયન દ્વારા ધરણા સમાપ્ત કરવામાં આવ્યા હતા.
બજાજ શુગર મિલે ખેડૂતોને હજુ પણ 359.72 કરોડ રૂપિયા ચૂકવવાના બાકી છે. ભારતીય કિસાન યુનિયન ટિકૈત જૂથના કાલેન્દ્ર મલિકના નેતૃત્વમાં આ ધરણા યોજવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે આ વર્ષે મિલ દ્વારા 127.24 લાખ ક્વિન્ટલ શેરડીનું પીલાણ કરવામાં આવ્યું હતું. જેના માટે મિલે 440. 42 કરોડની ચૂકવણી કરવાની થતી હતી પણ મિલ દ્વારા હજુ માત્ર 80.72 કરોડની જ ચુકવણી કરવામાં આવી છે. એ રીતે જોઈએ તો મિલ દ્વારા ખેડૂતોને હજુ માત્ર 18.3 % જ ચુકવણી કરવામાં આવી છે અને તેને લઈને ખેડૂતોમાં આક્રોશ જોવા મળી રહ્યો હતો. મિલ પર ધરણા પ્રદર્શનમાં ખેડૂતોનો આક્રોશ એટલો બધો હતો કે મિલના મેનેજર લેખરાલ સિંહને કલાકો સુધી બેસાડી રાખ્યા હતા.