ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 44,281 કેસ નોંધાયા છે.છેલ્લા 24 કલાકમાં કોરોનાને લઈને દેશમાં 512 દર્દીઓના મૃત્યુ પણ નિપજ્યા છે.
જોકે છેલ્લા 24 કલાકમાં સાજા થનાર દર્દીઓની સંખ્યા પણ વધી છે. છેલ્લા 24 કલાકમાં ભારતમાં 50,326 દર્દીઓ સાજા થઈને ઘરે ગયા છે.ભારતમાં કુલ કોરોનાના કેસની સંખ્યા 86,36,012 પર પહોંચી છે. જયારે કુલ સાજા થનાર દર્દીઓની સંખ્યા 80,13,784 પર જોવા મળી રહી છે. હાલ દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 4,94,657 પર છે.