ભારતમાં કોરોનાના કેસની સંખ્યામાં ભારે વધારો; નવા 17,407 દર્દીઓ નોંધાયા

છેલ્લા 24 કલાકમાં ભારતમાં 17.407 નવા કોવિડ-19 કેસ અને 89 મૃત્યુ નોંધાયા છે તેમ કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે જણાવ્યું છે. છેલ્લાકેટલાંક દિવસથી ભારતમાં કેસ વધ્યા છે અને ખાસ કરીને મહારાષ્ટ્રમાં કેસમાં જે રીતે વધારો થયો છે તેની અસર કુલ કેસ પર પડી છે.

છેલ્લા 24 કલાકમાં ભારતમાં 14,031 દર્દીઓ રિકવર થતા ભારતમાં કુલ 1,08,26,075 દર્દીઓ સંપૂર્ણ સ્વસ્થ થઈને ઘેર પાછા ફર્યા છે.
દેશમાં કુલ કોરોનાવાયરસના કેસની સંખ્યા 1,11,56,923 પર પહોંચી છે, જેમાં 1,70,126 સક્રિય કેસ અને 1,57,435 મૃત્યુનો સમાવેશ થાય છે.
આરોગ્ય મંત્રાલય મુજબ, દેશમાં કુલ 1,66,16,048 લોકોને COVID-19 સામે રસી આપવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here