છપરાઃ લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને હવે બંધ પડેલી મધૌરા શુગર મિલનો મુદ્દો ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. શુક્રવારે મિલ પરિસરમાં મીડિયા સાથે વાતચીત કરતી વખતે, ભાજપના પૂર્વ ધારાસભ્ય શત્રુઘ્ન તિવારી ઉર્ફે ચોકર બાબાએ કહ્યું કે જો તેઓ સારણ સીટથી જીતશે, તો તેઓ કોઈપણ ભોગે મધૌરાની બંધ શુગર મિલ શરૂ કરાવશે.
તેમણે વધુમાં કહ્યું હતું કે જો ચૂંટણી જીત્યા બાદ મિલ શરૂ નહીં થાય તો તેઓ પોતાના પદ પરથી રાજીનામું આપી દેશે. તેમણે કહ્યું કે, જો સુગર મિલ શરૂ થશે તો આ વિસ્તારનો વિકાસ થશે.સ્થાનિક લોકોને રોજગારીની તકો મળશે અને ખેડૂતોની આવકમાં વધારો થશે.