આંધ્ર પ્રદેશ રાજ્યની સુગર ફેક્ટરીઓના પુનરુત્થાન માટે સરકારે કરી સમિતિની રચના

રાજ્યમાં સહકારી ક્ષેત્રમાં સુગર ફેક્ટરીઓના પુનરુત્થાન માટે ભલામણ કરવા સરકારે મંગળવારે નિષ્ણાત સમિતિની રચના કરી છે.
સરકારે ત્રણ સભ્યોની પેનલને આ મુદ્દાનો અભ્યાસ કરવા અને પુનર્જીવન માટેના પગલા સૂચવવા માટે બે મહિનાનો સમય આપ્યો છે.સમિતિ દરેક કારખાના હેઠળ શરૂ થનારા પુનરુત્થાન,પુનર્ગઠન,માનવ શક્તિની જરૂરીયાત, મશીનરીની મરામત અથવા ફેરફાર,શેરડી વિકાસ કાર્યક્રમ માટે માર્ગ નકશા તૈયાર કરશે.

આ સમિતિની રચના રાજ્ય સરકારના નિર્ણય અનુસાર કરવામાં આવી હતી જેણે 2019-20 ના બજેટમાં 100 કરોડ રૂપિયા ફાળવ્યા હતા.

અગાઉ સરકાર દ્વારા ચીફ એન્જિનિયર,સલાહકાર(પ્રક્રિયા) અને મુખ્ય કૃષિ અધિકારીની બનેલી તકનીકી સમિતિની નિમણૂક કરવામાં આવી હતી,જેણે પોતાનો અહેવાલ સુપરત કરી દીધો હતો.આ સમિતિએ સુગર પ્લાન્ટ અને તેની મશીનરીની હાલની સ્થિતિ અને તેના કેચમેન્ટ ક્ષેત્રમાં શેરડીના ઉત્પાદનનો અભ્યાસ અને આકારણી કરી હતી.

આ અહેવાલના આધારે સરકારે હવે સુગર ફેક્ટરીઓના પુનરુત્થાન માટે ભલામણો કરવા માટે એક નિષ્ણાત સમિતિની રચના કરી છે.સમિતિ રાજ્યના છ સહકારી ખાંડ કારખાનાઓની મુલાકાત લેશે, જે થોડા વર્ષો પહેલા બંધ થઈ હતી અને જેને પુનરુત્થાન માટે લેવામાં આવી હતી.સમિતિને ચિત્તૂર,રેનિગુંતા,આનાકાપલ્લે,વેમુરુ(ગુન્ટુર),ચેન્નુર (કડપ્પા) અને કોવુરુ(પશ્ચિમ ગોદાવરી) સ્થિત આ છ ફેક્ટરીઓના પરિસરની મુલાકાત લેવાની સત્તા આપવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here