ભારે વરસાદને કારણે ઉત્તરાખંડના ઘણા ભાગોમાં લોકોનો સામાન્ય જીવન ખોરવાઇ ગયું છે. નદીમાં પાણીનું સ્તર પણ વધ્યું છે અને ભૂસ્ખલન નિયમિતપણે પણ થઈ રહ્યું છે. ભારતના હવામાન વિભાગે આગામી બે દિવસમાં રાજ્યમાં જુદા જુદા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. ચમોલીમાં વરસાદને પગલે પહાડ તૂટતા
સ્થાનિક લોકોના જીવ પણ જોખમમાં મુકાયા છે.
છેલ્લા કેટલાક દિવસોથી પર્વતો પરથી કાટમાળ નીચે પડવાને કારણે બદ્રીનાથ હાઈવે પણ બંધ થઈ ગયો છે. આનાથી સ્થાનિક લોકોને તેમના સ્થળ સુધી પહોંચવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જિલ્લામાં નંદાકિની નદીઓ ખતરાના સંકેતથી થોડા સેન્ટીમીટર નીચે વહી રહી છે.
જિલ્લા મેજિસ્ટ્રેટ સ્વાતિ એમ ભદોરિયાએ ANIને જણાવ્યું હતું કે મુશળધાર વરસાદને કારણે ઘણા રસ્તાઓ બંધ થઈ ગયા છે. તેમણે કહ્યું કે ભૂસ્ખલનને કારણે બંધ થયેલા રસ્તાઓ પરથી કાટમાળ દૂર કરવા અને રસ્તાઓ ફરી ખોલવા માટે કાર્યવાહી ચાલી રહી છે. ઈલેક્ટ્રીક થાંભલા ઉખાડી ગયા છે અને તેનું સમારકામ ચાલી રહ્યું છે. એનડીઆરએફ અને એસડીઆરએફ ટીમોને જિલ્લાની અનેક શહેરોમાં સ્થાન લઇ લેવા આદેશ આપી દેવામાં આવ્યો છે.