ભારતે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન (WTO)ની વિવાદ નિવારણ સમિતિના નિર્ણય સામે અપીલ કરી છે. વિવાદ નિરાકરણ સમિતિએ તેના નિર્ણયમાં કહ્યું છે કે ખાંડ અને શેરડી માટે ભારતના સ્થાનિક સમર્થન પગલાં વૈશ્વિક વેપાર નિયમોને અનુરૂપ નથી. એક અધિકારીએ આ જાણકારી આપી હતી.
ભારતે આ અપીલ WTOની અપીલ સંસ્થા સમક્ષ કરી છે. આ સંસ્થા આવા વેપાર વિવાદોની અંતિમ સમાધાન સત્તા છે.
ભારતે કહ્યું છે કે WTOની વિવાદ નિરાકરણ સમિતિએ શેરડીના ઉત્પાદકો અને નિકાસને ટેકો આપવા માટેની સ્થાનિક યોજનાઓ અંગેના તેના નિર્ણયમાં ઘણા “ખોટા” તારણો કાઢ્યા છે, જે સંપૂર્ણપણે “અસ્વીકાર્ય” છે.
કમિટીએ 14 ડિસેમ્બર, 2021ના તેના નિર્ણયમાં કહ્યું હતું કે ભારતે માર્કેટિંગ અને ટ્રાન્સપોર્ટ સ્કીમ હેઠળ પ્રોડક્શન સપોર્ટ, બફર સ્ટોક અને કથિત રીતે પ્રતિબંધિત સબસીડી પાછી ખેંચી લેવી જોઈએ. સમિતિએ ભારતને તેના અહેવાલના 120 દિવસની અંદર પ્રતિબંધિત સબસીડી પાછી ખેંચી લેવા જણાવ્યું હતું.
ભારતની ખાંડ સબસીડી સામે બ્રાઝિલ, ઓસ્ટ્રેલિયા અને ગ્વાટેમાલાની ફરિયાદો પર સમિતિ દ્વારા આ વ્યવસ્થા કરવામાં આવી હતી. સમિતિએ કહ્યું હતું કે ભારતના સમર્થનના પગલાં WTO વેપાર નિયમોને અનુરૂપ નથી.
અધિકારીએ જણાવ્યું હતું કે વિવાદ નિરાકરણ સમિતિનો નિર્ણય અયોગ્ય હતો અને WTOના ધોરણોને અનુરૂપ નથી. “કથિત નિકાસ સબસિડી પર સમિતિના તારણો યોગ્ય નથી. ભારતે સમિતિના નિર્ણય સામે અપીલ સંસ્થામાં અપીલ કરી છે.