મહારાષ્ટ્રઃ કોલ્હાપુરમાં થિયેટરમાં આગ લાગી, કરોડોની સંપત્તિ બળીને રાખ થઈ ગઈ

કોલ્હાપુર: મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં કેશવરાવ ભોસલે થિયેટરમાં ગુરુવારે રાત્રે ભીષણ આગ ફાટી નીકળી હતી, જેમાં કરોડો રૂપિયાની સંપત્તિનો નાશ થયો હતો, અધિકારીઓએ જણાવ્યું હતું. રાત્રે 9 વાગ્યાની આસપાસ બનેલી આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજાના સમાચાર નથી.

ઘટનાની જાણ થતા ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા હતા. ઘટનાસ્થળેથી મળેલી તસવીરોમાં બિલ્ડિંગમાં જ્વાળાઓ દેખાઈ રહી છે. ઘટનાસ્થળે પહોંચેલા શિવસેનાના નેતા રાજેશ ક્ષીરસાગરે જણાવ્યું કે, આગ ઓલવવાનું કામ હજુ ચાલુ છે. “તેમણે કહ્યું, આગમાં કરોડો રૂપિયાની સંપત્તિ નાશ પામી છે.”

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here