મુંબઈ: મહારાષ્ટ્રમાં ઇથેનોલ ઉત્પાદન અને તેના પુરવઠાને વેગ આપવા માટે રાજ્ય સરકારે બુધવારે ખાંડ કમિશનરની અધ્યક્ષતામાં પાંચ સભ્યોની સમિતિની રચના કરી હતી જેથી રોડમેપ અને રાજ્ય-સ્તરની નીતિ તૈયાર કરી શકાય.
સરકારના આ પગલાથી સમગ્ર દેશમાં ઇથેનોલનું ઉત્પાદન વધારવાના કેન્દ્રના નિર્ણયને વેગ મળશે.
ધ ફ્રી પ્રેસ જર્નલમાં પ્રકાશિત સમાચારો અનુસાર, સહકાર વિભાગના ડેસ્ક ઓફિસર પ્રશાંત પિંપલેએ સરકારના પ્રસ્તાવમાં જણાવ્યું હતું કે સમિતિ ઇથેનોલ ઉત્પાદકોને માર્ગદર્શન આપશે અને નીતિ તૈયાર કરશે અને તેમને સ્ટેન્ડથી વાકેફ કરશે. ઇથેનોલ ઉત્પાદન અને તેના માર્કેટિંગ પર કેન્દ્ર અને ઓઇલ માર્કેટિંગ કંપનીઓ ના વલણ અંગે અવગત કરવામાં આવશે