મુંબઈ: મુંબઈમાં આજે મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર કેટલીક જગ્યાએ ભારે વરસાદની સંભાવના છે.
ભારતીય હવામાન વિભાગ (IMD) એ આજે મુંબઈ માટે યલો યલો એલર્ટ જારી કર્યું છે અને થાણે, પાલઘર અને રાયગઢ માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
મુંબઈ ફાયર બ્રિગેડે જણાવ્યું કે, મુંબઈના મલાડ વિસ્તારમાં ભારે વરસાદને કારણે એક 38 વર્ષીય વ્યક્તિનું ઝાડ તેના પર પડતા તેનું મૃત્યુ થયું હતું. આ વ્યક્તિનું નામ કૌશલ દોશી જણાવવામાં આવી રહ્યું છે.
મુંબઈ અને તેના ઉપનગરોમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડી રહ્યો છે.જેના કારણે મુંબઈમાં IMD દ્વારા ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
29મી જૂનના રોજ સવારે 8 વાગ્યાથી સવારે 8 વાગ્યા સુધીમાં મુંબઈ મેટ્રોપોલિટન રિજનમાં સરેરાશ વરસાદ (93 મિમી), પૂર્વ ઉપનગરોમાં 127 મિમી અને પશ્ચિમી ઉપનગરોમાં 123 મિમી નોંધાયો છે.
હવામાન કચેરીએ એમ પણ કહ્યું છે કે શુક્રવારથી ભારે વરસાદની તીવ્રતા ધીમે ધીમે ઘટવાની શક્યતા છે.
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) કમિશનર આઈએસ ચહલે ગઈકાલે કિંગ્સ સર્કલમાં મીઠી નદી અને ગાંધી માર્કેટ સહિત વિવિધ પૂરના પ્રવાહના સ્થળોનું નિરીક્ષણ કર્યું હતું અને વોર્ડ-સ્તરના અધિકારીઓને પરિસ્થિતિ પર નજર રાખવા માટે નિર્દેશ આપ્યો હતો.
બુધવારે, અંધેરી સબવે ભારે પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે ટ્રાફિક જામ થયો હતો.
પ્રાદેશિક હવામાન કેન્દ્રે 25 જૂને જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં આગામી 4-5 દિવસમાં હવામાનની તીવ્રતામાં સંભવિત વધારો થવાના સંકેતો છે.
નોંધનીય છે કે થોડા દિવસો પહેલા જ દેશના ઘણા ભાગોમાં ચોમાસાએ પ્રવેશ કર્યો હતો, જેના કારણે ઉનાળાની કાળઝાળ ગરમી માંથી લોકોને રાહત મળી હતી.
25 જૂનના રોજ, ભારતીય હવામાન વિભાગ (IMD) એ ઓડિશાના 13 જિલ્લાઓમાં ભારે વરસાદ માટે નારંગી ચેતવણી જારી કરી હતી. 26 જૂને કેરળના અલપ્પુઝા, એર્નાકુલમ અને થ્રિસુર જિલ્લામાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું હતું. આંધ્રપ્રદેશમાં, હવામાન વિભાગે 26 જૂને ભારે વરસાદને કારણે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું હતું.