હવે ઉત્તર પ્રદેશમાં કમ્પ્રેસ્ડ બાયોગેસ પર ધ્યાન કેન્દ્રિત; મુખ્યમંત્રીના હસ્તે નવા CBG પ્લાન્ટનું ઉદ્ઘાટન

ઇથેનોલ પછી, રાજ્ય સરકાર હવે ઉત્તર પ્રદેશમાં કોમ્પ્રેસ્ડ બાયોગેસને પ્રોત્સાહન આપવા માટે ઘણા મહત્વપૂર્ણ પગલાં લઈ રહી છે. ગઈકાલે ગોરખરપુરના ધુરિયાપર ખાતે ઇન્ડિયન ઓઇલના CBG પ્લાન્ટનું મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઉદ્ઘાટન કર્યું હતું.

આ પ્લાન્ટ ઉર્જા આત્મનિર્ભરતા તરફ એક મહત્વપૂર્ણ પ્રયાસ છે. લગભગ ₹165 કરોડના ખર્ચે રાજ્ય સરકાર દ્વારા ફાળવવામાં આવેલી 18 એકર જમીન પર ઇન્ડિયન ઓઇલ દ્વારા અત્યાધુનિક સુવિધાઓ સાથે પ્લાન્ટ સ્થાપવામાં આવ્યો છે.

આ પ્લાન્ટ બાયોગેસ બનાવવા માટે લગભગ 200 ટન ડાંગરના સ્ટ્રો અને પ્રેસ મડ અને પશુઓના છાણનો ઉપયોગ કરીને દરરોજ 20 ટન કોમ્પ્રેસ્ડ બાયોગેસ અને 125 ટન ઓર્ગેનિક ખાતરનું ઉત્પાદન કરશે. આ પ્લાન્ટમાંથી ઉત્પાદિત ઓર્ગેનિક ખાતર લગભગ 9000 હેક્ટર કૃષિ વિસ્તારોમાં ઉપજ વધારવામાં મદદ કરશે, જેનાથી ખેડૂતોની આવકમાં વધારો થશે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here