પાકિસ્તાનની 12 શુગર મિલો પર પગલાં લેવા આદેશ

લાહોર, પાકિસ્તાન: પંજાબ શેરડી કમિશનરે ખેડુતોના શેરડીના બાકી નાણાં ચૂકવવામાં નિષ્ફળ ગયેલી 12 જેટલી શુગર મિલો સામે કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે. ચુકવણી કરવામાં નિષ્ફળ રહેલી કેટલીક મિલો અગ્રણી રાજકીય નેતાઓ સાથે સંકળાયેલી છે. શેરડીના કમિશનર નદીમ અબ્બાસ ભંગુએ કહ્યું કે, પંજાબમાં 41 ખાંડ મિલો છે અને તેમાંથી 29 મિલોએ શેરડીના ખેડુતોને 100 ટકા ચૂકવણી કરી છે. બાકીની 12 મિલના લોકોને ડિફોલ્ટર જાહેર કરાયા છે અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી રહી છે.

મિલો ઉપર તાળુ મારવા માટે શેરડી કમિશનરે સંબંધિત જિલ્લાના ડેપ્યુટી કમિશનરોને નિર્દેશ આપ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here