પ્રધાનમંત્રીએ ભારતમાં ગેસના ભાવ પર આંતરરાષ્ટ્રીય ગેસના ભાવમાં વધારાની અસરને ઘટાડીને ગ્રાહકોના હિતનું રક્ષણ કરવાના કેબિનેટના નિર્ણયને વધાવ્યો છે.
કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી શ્રી હરદીપ સિંહ પુરી દ્વારા કરવામાં આવેલ ટ્વીટ શેર કરતા, પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;
“સંશોધિત ઘરેલું ગેસના ભાવો સંબંધિત કેબિનેટના નિર્ણયથી ગ્રાહકો માટે ઘણા ફાયદા છે. આ ક્ષેત્ર માટે સકારાત્મક વિકાસ છે.”
(Source: PIB)