રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના પ્રમુખ શરદ પવારે જાહેરાત કરી છે કે તેઓ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ પદ છોડી રહ્યા છે. પવારે કહ્યું કે હવે હું ઈચ્છું છું કે એનસીપીની જવાબદારી કોઈ અન્ય સંભાળે.
શરદ પવારે તાજેતરમાં જ આ વાતનો સંકેત આપ્યો હતો જ્યારે તેમણે કહ્યું હતું કે રોટલી સમયસર ન ફેરવાય તો બળી જાય છે. શરદ પવારની આ જાહેરાત બાદ હવે તમામની નજર પદ કોને કોને આપવામાં આવશે તેના પર છે.
શરદ પવારે 1999માં કોંગ્રેસ છોડીને NCPની સ્થાપના કરી હતી.