બિદર, કર્ણાટક: કર્ણાટકના વન, પર્યાવરણ અને ઇકોલોજી પ્રધાન અને બિદર જિલ્લાના પ્રભારી ઇશ્વર બી ખંડ્રેએ અધિકારીઓને સ્થાનિક શુગર મિલોના ખેડૂતોના બાકી લેણાંની ચુકવણી માટે તાત્કાલિક પગલાં લેવાનો નિર્દેશ આપ્યો છે. ડેપ્યુટી કમિશનરની ઓફિસમાં કલ્યાણા કર્ણાટક રિજન ડેવલપમેન્ટ બોર્ડ (KKRDB) ની પ્રગતિ સમીક્ષા બેઠકની અધ્યક્ષતામાં, મંત્રી ખંડ્રેએ શેરડીના ખેડૂતોને પડતી આર્થિક સમસ્યાઓને ઉકેલવાની જરૂરિયાત પર પ્રકાશ પાડ્યો.
ડેક્કન ક્રોનિકલમાં પ્રસિદ્ધ થયેલા સમાચાર અનુસાર, તેમણે જણાવ્યું હતું કે, હાલમાં જિલ્લામાં કાર્યરત પાંચ સુગર મિલો માંથી ત્રણે ખેડૂતોને બાકી રકમ ચૂકવી દીધી છે. જો કે, મોગધલમાં બિદર કિસાન સુગર ફેક્ટરી લિમિટેડ પાસે હજુ પણ રૂ. 3.40 કરોડ બાકી છે, અને ભાલકીમાં ભાલકેશ્વર સુગર મિલ પર હજુ પણ ખેડૂતોના રૂ. 3.18 કરોડ બાકી છે. મંત્રી ખંડ્રેએ અધિકારીઓને આ મિલોમાંથી ખાંડનો જથ્થો જપ્ત કરવા અને જરૂર પડ્યે તેની હરાજી કરવાનો નિર્દેશ આપ્યો, જેથી ખેડૂતોને કોઈ પણ વિલંબ કર્યા વિના ચુકવણી સુનિશ્ચિત કરી શકાય.