પ્રધાનમંત્રીએ તુર્કીમાં ભૂકંપને કારણે થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તુર્કીમાં ભૂકંપના કારણે જાનહાનિ અને જાનમાલના નુકસાન અંગે ઊંડો શોક વ્યક્ત કર્યો છે.

તુર્કીના રાષ્ટ્રપતિના ટ્વીટના જવાબમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;

“તુર્કીમાં ભૂકંપના કારણે જાનહાનિ અને સંપત્તિના નુકસાનથી વ્યથિત છું. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના. ઘાયલો જલ્દીથી સાજા થાય. ભારત આ દુર્ઘટનામાં તુર્કીના લોકો સાથે સક્ષમતાથી ઊભું છે અને તેનો સામનો કરવા માટે તમામ શક્ય સહાય આપવા તૈયાર છે.”

(Source: PIB)

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here